શુક્રવાર, ઑક્ટોબર 07, 2016

હવે ?

અનંત અવકાશમાં  
પાંખો ફફડાવતું
ઉડે છે
દિશાહીન મન !
દુર દુર સુધી દોડાવે છે
વિહવળ નજર,
પણ ક્યાંય દેખાતો નથી
ખોવાઇ ગયેલો 
જીવન ઉદ્દેશ્ય !


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: