ટેરવાં બરછટ થયા,
છેવટે પાકટ થયા.
ધર્મને છેડ્યો જરા,
લોહીના વહીવટ થયા.
સેલથી ઉંચકાય છે,
ડીજીટલ ઘૂંઘટ થયા.
યાદના વરસાદમાં,
એ સદા વાછટ થયા.
એ કદી સામે મળ્યા,
નેણલાં પનઘટ થયા.
કુટિલતા શીખ્યા નહીં,
તેથી સીધાંસટ થયા.
વિનોદ નગદીયા (આનંદ)
છેવટે પાકટ થયા.
ધર્મને છેડ્યો જરા,
લોહીના વહીવટ થયા.
સેલથી ઉંચકાય છે,
ડીજીટલ ઘૂંઘટ થયા.
યાદના વરસાદમાં,
એ સદા વાછટ થયા.
એ કદી સામે મળ્યા,
નેણલાં પનઘટ થયા.
કુટિલતા શીખ્યા નહીં,
તેથી સીધાંસટ થયા.
વિનોદ નગદીયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો