રોજ મન મૂંઝાય છે,
રોજ કવિતા થાય છે.
રોજ સ્મૃતિ કથા કરે,
માણસો વંચાય છે.
એક પંખી ગાય છે,
ઝાડ જાગી જાય છે.
દર્પણોની ખાઇમાં,
ચાહતો પડઘાય છે.
મહેકવું છે પુષ્પને,
પણ પવન ક્યાં વાય છે !
ઘાવ જો ગમતો મળે,
દર્દ પણ હરખાય છે.
વિનોદ નગદિયા (આનંદ)
રોજ સ્મૃતિ કથા કરે,
માણસો વંચાય છે.
એક પંખી ગાય છે,
ઝાડ જાગી જાય છે.
દર્પણોની ખાઇમાં,
ચાહતો પડઘાય છે.
મહેકવું છે પુષ્પને,
પણ પવન ક્યાં વાય છે !
ઘાવ જો ગમતો મળે,
દર્દ પણ હરખાય છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો