અંગત હતા એ ક્રૂર થયાં,
તેથી અમે મશહૂર થયાં.
ચાંદા ગણી જે અવગણ્યા,
સગપણ બધા નાસૂર થયાં.
સાચા સગા નડતા નથી,
એવા ભરમ પણ દૂર થયાં.
સંબંધ મીઠા રાખવા,
સંજોગ બહુ મજબૂર થયાં.
બે ચાર જણ વાગી ગયા,
"આનંદ" ચકનાચૂર થયાં.
વિનોદ નગદિયા (આનંદ)
ચાંદા ગણી જે અવગણ્યા,
સગપણ બધા નાસૂર થયાં.
સાચા સગા નડતા નથી,
એવા ભરમ પણ દૂર થયાં.
સંબંધ મીઠા રાખવા,
સંજોગ બહુ મજબૂર થયાં.
બે ચાર જણ વાગી ગયા,
"આનંદ" ચકનાચૂર થયાં.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો