સોમવાર, મે 22, 2017

સચવાય નહીં

વેદના ચર્ચાય નહીં,
ને સહન પણ થાય નહીં.

દર્દની ગુજરી ભરી,
ગામને વહેંચાય નહીં.

વારતા ના ભેદ પણ,
કોઈને કહેવાય નહીં.

લાગણી ની વાત છે,
સાનમાં સમજાય નહીં.

નીકળે કવિતા બની,
છેવટે સચવાય નહીં.

વિનોદ નગદિયા (આનંદ) 

ટિપ્પણીઓ નથી: