તડકાએ કરી ટકોર તો પસીનો છૂટી ગયો,
આકરો ચડ્યો પહોર તો પસીનો છૂટી ગયો.
લાગણી ના આવેગમાં ઘણા કોલ દઇ બેઠા,
ઉતરી જો ગયો તોર તો પસીનો છૂટી ગયો.
એજ છાંયડો તો હતો જીવન બાગમાં સદા,
જો રૂઠ્યો ગુલમહોર તો પસીનો છૂટી ગયો.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો