જે નામ પર બહુ નાઝ છે,
એ તો તૂટેલું સાજ છે.
કાલે હકીકત જે બની,
એની જ અફવા આજ છે.
ગોરા વદન પર તલ જડે,
એને શરમ કે લાજ છે?
આ આયનો ઘૂરક્યા કરે,
એને વળી શું દાઝ છે!
દોડે ઘણો "આનંદ " પણ,
ગમગીની વાજોવાજ છે.
વિનોદ નગદિયા (આનંદ)
કાલે હકીકત જે બની,
એની જ અફવા આજ છે.
ગોરા વદન પર તલ જડે,
એને શરમ કે લાજ છે?
આ આયનો ઘૂરક્યા કરે,
એને વળી શું દાઝ છે!
દોડે ઘણો "આનંદ " પણ,
ગમગીની વાજોવાજ છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો