મંગળવાર, જૂન 19, 2018

વાજોવાજ છે

 જે નામ પર બહુ નાઝ છે,
એ તો તૂટેલું સાજ છે.

કાલે હકીકત જે બની,
એની જ અફવા આજ છે.

ગોરા વદન પર તલ જડે,
એને શરમ કે લાજ છે?

આ આયનો ઘૂરક્યા કરે,
એને વળી શું દાઝ છે!

દોડે ઘણો "આનંદ " પણ,
ગમગીની વાજોવાજ છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: