સમરાંગણમા આવી ઊભા છે,
એ પાંપણમા આવી ઊભા છે.
મૃગજળ થોડાં પાઈ દેજોને,
સપના રણમાં આવી ઊભા છે.
પગલાં જેના ભૂંસી નાખ્યાં છે,
એ આંગણમા આવી ઊભા છે.
ડાઘ ભીતરમાં ધરબી દીધા જે,
લ્યો દર્પણમાં આવી ઊભા છે.
જે સમજણથી અળગા થયાં છે,
એ જ રટણમાં આવી ઊભા છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો