તેજ તલવાર છે, વાગી જાશે કદી,
શબ્દને ધાર છે, વાગી જાશે કદી.
કોક વસમી મરણનોંધ મળી આવશે,
યાદ અખબાર છે, વાગી જાશે કદી.
ઠેસને એટલી ય સમજણ પણ નથી,
આંધળો પ્યાર છે, વાગી જાશે કદી.
પહેરતાં થરથરે મારી માસુમિયત,
ફૂલનો હાર છે, વાગી જાશે કદી.
ઉંચકી ના શકે રોજ નિઃશ્વાસને,
એ વજનદાર છે, વાગી જાશે કદી.
દૂર ભાગે બધા એમ "આનંદ"થી,
જણ ગઝલકાર છે, વાગી જાશે કદી.
કોક વસમી મરણનોંધ મળી આવશે,
યાદ અખબાર છે, વાગી જાશે કદી.
ઠેસને એટલી ય સમજણ પણ નથી,
આંધળો પ્યાર છે, વાગી જાશે કદી.
પહેરતાં થરથરે મારી માસુમિયત,
ફૂલનો હાર છે, વાગી જાશે કદી.
ઉંચકી ના શકે રોજ નિઃશ્વાસને,
એ વજનદાર છે, વાગી જાશે કદી.
દૂર ભાગે બધા એમ "આનંદ"થી,
જણ ગઝલકાર છે, વાગી જાશે કદી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો