મંગળવાર, ડિસેમ્બર 12, 2023

લાવ્યા કર

વાગે છે તો વગાડ્યા કર,
એમ સંગત નિભાવ્યા કર.

શ્વાસમાં કોઈનું સ્મરણ,           

ચાલે છે તો ચલાવ્યા કર,


સેજમાં રાતરાણીથી,

શૂન્યતા ને સજાવ્યા કર.


ભાગ્ય તો ભીની માટી છે,

ઘાટ તું બસ ઘડાવ્યા કર.


તેં ગઝલમાં જે ધર્યો છે,

એજ "આનંદ" લાવ્યા કર.


વિનોદ નગદિયા (આનંદ)








ટિપ્પણીઓ નથી: