અથડામણ સત્યની સત્ય સાથે થાય છે
ત્યારે
મન થોડું મુંઝાય છે.
એક જ પાટા પર
સામ સામે આવી ગયેલી બે ટ્રેઇનો
ટકરાઇ જાય, પછી
ડબ્બાઓ કેવાં એક મેક પર ચડી જાય છે !
પણ..
જીવતા રહેવાને ક્યાં કંઇ લાગે વળગે છે
સત્ય સાથે !
એકવાર પાટાઓ ગોઠવાઇ જાય
પછી ટ્રેઇનો તો દોડતી જ રહેશે.
પાટાઓ હાંફવા સિવાય
બીજું કંઇ ક્યાં કરી શકે છે !
વિનોદ નગદિયા (આનંદ)
2 ટિપ્પણીઓ:
very good.
Thanks
ટિપ્પણી પોસ્ટ કરો