બુધવાર, ફેબ્રુઆરી 25, 2015

અથડામણ સત્યની સત્ય સાથે થાય છે
ત્યારે 
મન થોડું મુંઝાય છે.
એક જ પાટા પર 
સામ સામે આવી ગયેલી બે ટ્રેઇનો
ટકરાઇ જાય, પછી
ડબ્બાઓ કેવાં એક મેક પર ચડી જાય છે !
પણ..
જીવતા રહેવાને ક્યાં કંઇ લાગે વળગે છે
સત્ય સાથે !
એકવાર પાટાઓ ગોઠવાઇ જાય
પછી ટ્રેઇનો તો દોડતી જ રહેશે. 
પાટાઓ હાંફવા સિવાય
બીજું કંઇ ક્યાં કરી શકે છે !

વિનોદ નગદિયા (આનંદ)