ગુરુવાર, સપ્ટેમ્બર 08, 2016

રહેવા દે

આમ નયન વિસ્ફારવાનું રહેવા દે,
વાતે વાતે ડારવાનું રહેવા દે.

કાં આંસુ વહાવ કાં ગુસ્સો કર,
મૌન રહીને મારવાનું રહેવા દે.

સમજ મને ક્યાં છે પ્રતિભાવ તણી,
મારા વિષે ધારવાનું રહેવા દે.

ફરફોલા પડી જશે લાગણીમાં,
આ હ્રદયને ઠારવાનું રહેવા દે.

પથ્થરમાં પ્રાણ પુરાશે નહીં,
આંસુઓને જારવાનું રહેવાદે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: