ભલે આયના ખૂબસૂરત ઠરાવે,
સજાવટ ખરેખર તો પૂરક ઠરાવે.
નથી રહેતી કાબૂમાં લાગણીઓ કોઈ,
અનાડી થઈ રોજ મૂરખ ઠરાવે.
ઝંઝાવાત ભીતરનો ક્યાંથી છુપાવું,
આ ગઝલો તો સંતાપ અનુરત ઠરાવે.
જતી વેળા મીઠી જે નજરૂં મળી'તી,
હ્રદય કેમ એને જ કમુરત ઠરાવે !
રહે ખુદની મસ્તીમાં તલ્લીન કાયમ,
એને લોક "આનંદ" મૂરત ઠરાવે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો