કપરા સમયની માર તો ગાંઠ્યા નથી તમે,
પણ દિલ ઉપરના ભાર તો છોડ્યા નથી તમે.
કઈ રીતે એમ છોડી દઉં હું સાથ આપનો,
એવા કોઈ અણસાર તો આપ્યા નથી તમે,
એવા કોઈ અણસાર તો આપ્યા નથી તમે,
ગાંઠો પડી ગઈ છે જુઓ ઉંબરમાં કેટલી,
ખુલ્લા કદીયે દ્વાર તો રાખ્યા નથી તમે.
દખલ દઈને સ્વપ્નમાં શું હાંસલ કરી લીધું,
ત્યાં પણ પર્યાપ્ત પ્યાર તો લાવ્યા નથી તમે.
"આનંદ"નો અજવાસ તો દીપકની જ્યોત છે,
તેથીજ બધે સ્વીકાર તો પામ્યા નથી તમે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો