બુધવાર, જૂન 21, 2017

કે!

અછડતું અડીને જવાય કે !
ઘાતકી ઘસરકે થવાય કે !

ધોધમાર આવો, મજા પડે,
ઢેફુંભાંગ વરસ્યે નવાય કે ! 

તીરછી નઝર તો કરી નથી,
એમ કોઇ દલડું ઘવાય કે !

અંધકાર પાછો જશે નહીં,
રાતભર ગઝલને ગવાય કે !

શૂન્યતા વિના ત્યાં કંઈ નથી,
લાગણીના રસ્તે ચલાય કે !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: