અછડતું અડીને જવાય કે !
ઘાતકી ઘસરકે થવાય કે !
ધોધમાર આવો, મજા પડે,
ઢેફુંભાંગ વરસ્યે નવાય કે !
તીરછી નઝર તો કરી નથી,
એમ કોઇ દલડું ઘવાય કે !
અંધકાર પાછો જશે નહીં,
રાતભર ગઝલને ગવાય કે !
શૂન્યતા વિના ત્યાં કંઈ નથી,
લાગણીના રસ્તે ચલાય કે !
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો