સપનામાં આવી જાય છે કાયમ ગઝલ પરી,
ઘાયલ કરીને જાય છે કાયમ ગઝલ પરી.
શ્વાસોમાં આસપાસનું વાતાવરણ ભરી,
તાજી ને માજી થાય છે કાયમ ગઝલ પરી.
દિલના ઉમંગ કે વ્યથા પરખી લીધા પછી,
એ રાગમાં જ ગાય છે કાયમ ગઝલ પરી.
સંબંધના સરવાળા ને કંઇ બાદબાકીઓ,
ઈંગિત કરીને જાય છે કાયમ ગઝલ પરી.
શાયર કોઈ જો તરફડે એના પ્રસવ સમે,
"આનંદ"થી હરખાય છે કાયમ ગઝલ પરી.
વિનોદ નગદિયા (આનંદ)
શ્વાસોમાં આસપાસનું વાતાવરણ ભરી,
તાજી ને માજી થાય છે કાયમ ગઝલ પરી.
દિલના ઉમંગ કે વ્યથા પરખી લીધા પછી,
એ રાગમાં જ ગાય છે કાયમ ગઝલ પરી.
સંબંધના સરવાળા ને કંઇ બાદબાકીઓ,
ઈંગિત કરીને જાય છે કાયમ ગઝલ પરી.
શાયર કોઈ જો તરફડે એના પ્રસવ સમે,
"આનંદ"થી હરખાય છે કાયમ ગઝલ પરી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો