ગુરુવાર, ઑક્ટોબર 18, 2018

કેવા ગયા.

હળવાશને હળવાશથી લેવા ગયા,
પૂછો નહીં દિવસો પછી કેવા ગયા.

આવી હતાશા જ્યારથી આ આંખમાં,
સપના બધા વનવાસમાં રહેવા ગયા.

પોચટ ઇરાદા હાથમાં રાખી અમે,
રે, હાથતાળી ભાગ્યને દેવા ગયા,
 
વિનોદ નગદિયા (આનંદ)

 


ટિપ્પણીઓ નથી: