ગુરુવાર, નવેમ્બર 06, 2008

સાંભરે નહીં

શ્રધ્ધા ના નામ પર ભલે આંસુ ખરે નહીં,
આંખોની શૂન્યતા હવે પડખું ફરે નહીં.

એટલો પ્રગાઢ ક્યાં આપણો સંબંધ હતો,
કહીદો તમારી આંખને કે કરગરે નહીં.

મહેફીલ માં મારી અવદશા કેવી થતી હશે,
તારી જ વાત થાય અને તૂં સાંભરે નહીં.

વિનોદ નગદિયા-આનંદ

ટિપ્પણીઓ નથી: