રણ રેતીને ઝાંઝવા લલાટે લખ્યાં છે,
આંધીના રોજ ફતવા લલાટે લખ્યાં છે.
રાખુ છું અશ્રુથી આંખો કાયમ છલોછલ,
સપનાઓ સદા તૂટવા લલાટે લખ્યાં છે.
મસ્તક ઢળે એવા ખભાઓ જ મળ્યા નહીં,
દોસ્તો રોજ નવા નવા લલાટે લખ્યાં છે.
આ ગુંગળામણ તરફડાટ લઇને ક્યાં જાઉં,
આજ વાતાવરણ હવા લલાટે લખ્યાં છે.
વિનોદ નગદિયા (આનંદ)
2 ટિપ્પણીઓ:
What great poem beautiful thinking and thanks for sharing.
Send Free SMS
Thanks
ટિપ્પણી પોસ્ટ કરો