ગુરુવાર, જાન્યુઆરી 17, 2013

લલાટે લખ્યાં છે.


રણ રેતીને ઝાંઝવા લલાટે લખ્યાં છે,
આંધીના રોજ ફતવા લલાટે લખ્યાં છે.

રાખુ છું અશ્રુથી આંખો કાયમ છલોછલ,  
સપનાઓ સદા તૂટવા લલાટે લખ્યાં છે.

મસ્તક ઢળે એવા ખભાઓ જ મળ્યા નહીં,
દોસ્તો રોજ નવા નવા લલાટે લખ્યાં છે.

આ ગુંગળામણ તરફડાટ લઇને ક્યાં જાઉં,
આજ વાતાવરણ હવા લલાટે લખ્યાં છે.

વિનોદ નગદિયા (આનંદ)