આપણા આંસુ તો મગરના આંસુ,
ઇશ્વરના આંસુ ઘર ઘરના આંસુ.
એને તો હવે એટલો જ સતાવો,
રડે તો સારે માફકસરના આંસુ.
પહાડોના હૈયા પણ ભરાય ત્યારે,
ખરવા માંડે છે પથ્થરના આંસુ.
પહાડોથી નફરત થઇ ગઇ હવેતો,
આવી રીતે કોઇ આપે સફરના આંસુ !
પૂજામાં શ્રધ્ધાને ચઢાવીને આવ્યા,
પ્રસાદીમા લાવ્યા ઉમ્રભરના આંસુ.
શ્રધ્ધાળુ હવે શું સારી રહ્યો છે !
શ્રધ્ધાની ઓછી અસરના આંસુ.
"આનંદ" હવે નૂર ક્યાં છે નઝરમાં,
ખુટી પડ્યાં છે સહુ અંદરના આંસુ.
વિનોદ નગદિયા (આનંદ)
2 ટિપ્પણીઓ:
Beautiful!
Thanks
ટિપ્પણી પોસ્ટ કરો