તસવીર જે નિહાળી એ લાજવાબ છે,
પણ મારી આંખમાં કંઇ નોંખા ખ્વાબ છે.
શ્રધ્ધાની વાત હોય ત્યાં શંકા જ થાય છે,
આ દિલ બિચારૂ શુ કરે,અનુભવ ખરાબ છે.
જ્યાં પાને પાને સ્તબ્ધતા ને આહ ફરફરે,
આંખો અમારી શૂન્યતા નામે કિતાબ છે.
જ્યાં માલ હોય ત્યાં સદા મીઠાશ રાખવી,
સંબંધમા તો સાવ એ સીધો હિસાબ છે.
જે પણ હતી,જેવી હતી ખુલી ગઝલ મહીં,
"આનંદ"ની હવે લાગણી બધી બેનકાબ છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો