આપતા તો અપાઇ ગયું છે દિલ હવે,
કેવું સાવ મુરઝાઇ ગયું છે દિલ હવે.
આમ જિંદગીભર મથામણ થઇ ભલે,
પણ મને ઓળખાઇ ગયું છે દિલ હવે.
ખુદનું લોહી પણ ત્યાંથી ચીલો ચાતરે,
એટલું બધુ વળખાઇ ગયું છે દિલ હવે.
સત્ય પણ રહેવા અંદર માંગતુ નથી.
કારણ કે કોહવાઇ ગયું છે દિલ હવે.
કોઇપણ પરિસ્થિતિ "આનંદ"થી સહેશે,
એટલું તો પરખાઇ ગયું છે દિલ હવે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો