ગુરુવાર, જાન્યુઆરી 05, 2017

કરાવે

આતમ મારો મોજમાં આવે,
તો અમરતના પાન કરાવે.

આતમ મારો જો મુંજાવે,
તો ગઝલોના ગાન કરાવે.

મારગ મુજને એવો આપો,
મારા ગજાનું ભાન કરાવે.

ચહેરો એવો ઉજળો રાખો,
પ્રતિબિંબ તમને માન કરાવે.

ઇશ્વર અવળી બાજી કરાવે,
એમજ સીધી સાન કરાવે.

"આનંદ" અલખ કેડે સાધે,
પરથમ ગેબી જ્ઞાન કરાવે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: