જીવનમાં કદી પણ અગર ભીડ પડે છે,
ખજાનો શીખોનો તરત સાંપડે છે.
હશે દ્વાર કેવા ભીડેલાં તમારા,
ટકોરા અમારા હજી તરફડે છે.
તકાદો સમયનો છે થઇ જાવ સ્વાર્થી,
આ સારપ અમારી પરંતુ નડે છે.
હશે યાદ એવી તો કોની તોફાની,
નશો પણ ગજબનો કલમને ચડે છે.
નથી સાવ ઉજ્જડ આ મારગ જીવનનો,
હ્રદયના સંબંધો હજી પણ જડે છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો