મંગળવાર, જૂન 21, 2022

પ્હેરી છે

પવન તો ગમે છે,પણ ઝેરી છે, 
સદાકાળ તબિયત નો વેરી છે.
 
સમય પણ તરત જ અનુકૂળ થયો, 
અમે જેવી આળસ ખંખેરી છે. 

પ્રણયનો ઘસરકો લાગે જરા, 
અસર પણ કદાચિત બહુ ઘેરી છે. 

ગઝલમાં દરદની ખેરાત દે, 
એ પાવક પ્રદાતા આ શેરી છે. 

ગઝલની સભાનો ગણવેશ છે, 
ઉદાસી અમસ્તી કયાં પ્હેરી છે. 

વિનોદ નગદિયા (આનંદ) 








ટિપ્પણીઓ નથી: