બુધવાર, જૂન 08, 2022

તઝમીન

 મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.

– મરીઝ

તઝમીન

આંખ મારી બાવરી છતને સતત તાકયા કરે, 
ઓરડાની ખામોશી ઊતાવળી લાગ્યા કરે, 
પણ દુવામાં કોઈ મારી જિંદગી માગ્યા કરે.
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.


વિનોદ નગદિયા (આનંદ) 


ટિપ્પણીઓ નથી: